Posts

Showing posts with the label સઆદત હસન મંટો

મંટો- ૩

Image
વેશ્યાવૃતિ                                          સઆદત હસન મંટોના લખાણમાં એક જાતની પારદર્શકતા અને સહજતા આંખે ઉડી ને વળગે એવી છે. એકદમ ચોખ્ખા વિચારો અને સીધી અને સરળ ભાષામાં તર્કબદ્ધ રજૂઆત. એમના લખાણો મને આનાયાશ જ ગુજરાતી સાહિત્યના ચંદ્રકાંત બક્ષી ની યાદ અપાવે છે. બક્ષીબાબુ ની લખાણ શૈલી માં મંટો વણાયેલા દેખાય છે. મને યાદ છે કે જયારે બક્ષી કલકત્તામાં પોતાના પરિવારથી અલગ રહેવા ચાલ્યા ગયા હતા ત્યારે રેડ લાઈટ એરિયા માં રહેતા હતા અને ત્યારે એમણે લખ્યું હતું, " અહીં રહેવાથી એક વાત ની ખબર પડી કે વેશ્યાઓ પણ અંતે તો એક સ્ત્રી જ હોય છે."                                       મંટોસાહેબએ પણ વેશ્યાવૃતિ પર એક સામા...

મંટો-૨

વાર્તાકાર અને યૌન સમસ્યા                    સાહિત્યકારો અને સાહિત્ય રસિકો સઆદત હસન મંટો થી અજાણ નથી. ઉર્દુ ભાષા ના આંગણી ને વેઢે ગણી શકાય તેવા ઉચાં ગજા ના વાર્તાકાર મંટો ના લેખોમાં સામાજિક જવાબદારી ના દર્શન પણ થાય છે.            ઈમેજ પબ્લીકેશન ના પુસ્તક 'સઆદત હસન મંટો- કેટલીક વાર્તાઓ' પુસ્તકમાં થી મને ગમતા થોડા અંશો રજુ કરું છું. આ દુનિયામાં જેટલા પણ અપમાનો છે એ બધાની જનેતા ભૂખ છે. ભૂખ ભીખ મંગાવે છે, ભૂખ અપરાધ શીખવાડે છે, શરીર વેચવા મજબુર કરે છે. ભૂખ અંતિમવાદી બનાવે છે...ભૂખનો હુમલો બહુ જ તીવ્ર, એનો વાર ભરપુર અને એનો ઘા બહુ જ ઊંડો હોય છે. ભૂખ પાગલો પેદા કરે છે, પાગલપણું ભૂખ નથી પેદા કરતુ. ઘડિયાળનો કાંટો જયારે એક પરથી પસાર થઇ ને બે તરફ સરકે છે ત્યારે એકનો આંકડો નક્કામો નથી થઇ જતો. સફર પૂરી કરી ને કાંટો ફરીથી પાછો એક પર પાછો આવે જ છે. આ ઘડિયાળનો નિયમ પણ છે અને દુનિયાનો નિયમ પણ આ જ છે. રોટી અને પેટ, સ્ત્રી અને પુરુષ......

મંટોનો વ્યંગ

            દસ-બાર હજારના ટોળા સામે એક માનસ ભાષણ કરી રહ્યો હતો : " ભાઈઓ, જે સ્ત્રીઓનું અપહરણ થયેલું અને હવે એમાંથી પછી આવી છે એ આપણી સૌથી મોટ્ટી સમસ્યા છે. આપણે સૌથી પહેલા આ સમસ્યાનો ઉકેલ વિચારવાનો છે. જો આપણે ગાફેલ રહીશું તો આ સ્ત્રી ઓ વેશ્યાવાડે જતી રહેશે અને વેશ્યા બની જશે....તમે સાંભળો છો ને? વેશ્યા બની જશે... તમારા બધાની ફરજ છે કે આ સ્ત્રીઓને આવા ભયાનક ભવિષ્ય તરફ જતા તમે રોકો...બચાવો...અને પોતપોતાના ઘરોમાં આ સ્ત્રીઓ માટે જગ્યા ઉભી કરો...પોતાની, પોતાના ભાઈ કે દીકરા ની શાદી કરતા પહેલા તમે આ સ્ત્રીઓને હગીજ ભૂલી જતા નહીં..." કબીર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.          ભાષણ કરવા વાળો બોલતો અટકી ગયો....કબીર તરફ ઈશારો કરીને બુલંદ અવાજે એને ટોળાને કહ્યું..: જુઓ તો ખરા.... આ માણસ ના દિલ પર મારા કહેવાની કેવી અસર થઇ છે?           કબીરે રૂંધાયેલા અવાજે કહ્યું : 'શબ્દોના શહેનશાહ, મારા દિલ પર તારા ભાષણે નામની પર અસર કરી નથી. કોઈ માલદાર ઓરત સાથે પરણવા માટે હજી સુધી તું કું...