Posts

Showing posts from July, 2015

દુઃખ

Image
જીવન માં દુઃખ હોય કે આપણે ઉભું કરીએ? ઉભા કરેલા દુઃખ ની વાતો કરીએ ખોતરિયે અને વલુરીયે લોહી ના નીકળે ત્યાં સુધી અને પછી એ પાકી જાય... પાકી ગયેલી બધી જ વસ્તુ પરિપક્વ ના કહેવાય!! દુઃખ ને વાગોળવું ગમે અને સુખ ને દાટવું ગમે એવા માણસ થી દુર રહેવું એ તમને પણ સુખી સમજી ને દાટી શકે છે! અને બધી જ દટાઈ ગયેલી વસ્તુ ઉગી નીકળે એવું જરૂરી નથી. -મનન ભટ્ટ, ૧૯/૦૭/૨૦૧૫ ૧૧:૪૦ રાત્રે