દુઃખ


જીવન માં દુઃખ હોય કે
આપણે ઉભું કરીએ?
ઉભા કરેલા દુઃખ ની વાતો કરીએ
ખોતરિયે અને વલુરીયે
લોહી ના નીકળે ત્યાં સુધી
અને પછી
એ પાકી જાય...
પાકી ગયેલી બધી જ
વસ્તુ પરિપક્વ ના કહેવાય!!
દુઃખ ને વાગોળવું ગમે
અને
સુખ ને દાટવું ગમે
એવા માણસ થી દુર રહેવું
એ તમને પણ સુખી સમજી ને
દાટી શકે છે!
અને બધી જ દટાઈ ગયેલી
વસ્તુ ઉગી નીકળે એવું જરૂરી નથી.
-મનન ભટ્ટ, ૧૯/૦૭/૨૦૧૫ ૧૧:૪૦ રાત્રે 

Comments

Popular posts from this blog

ગુ જ ર તી..... ગુજરાતી!!!

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|

મૃત્યુ - મોત - અવસાન - દેવ થઇ જવું અને એવું બધું!!!